Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

દેડીયાપાડા દશામાતા મંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતેથી એક સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ કરનાર શખ્શ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે
  પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદ આપનારની સગીર વયની એક દીકરીને મનિશભાઇ અશોકભાઇ વસાવા( રહે. નિવાલ્દા પેટ્રોલપંપની સામે તા ડેડીયાપાડા જી નર્મદા) નામનો યુવાન ડેડીયાપાડા નવી નગરી દશામાતા મંદીર પાછળથી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાની સગીરાના વાલીની ફરિયાદ બાદ દેડીયાપાડા પોલીસે અપહરણ કરી ગયેલા યુવાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(5:51 pm IST)