Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

દિવાળી નિમિત્તે ૭૧ લાખ પરિવારોને રાહતભાવે કપાસીયા તેલ વિતરણ

સરકાર આવતા મહિને રૂ. ૯૩માં લીટરનું પાઉચ આપશે

રાજકોટ તા. ૨૪ : રાજ્ય સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળનું રેશનકાર્ડ ધરાવતા ૭૧ લાખ પરિવારોને રાહતદરે કપાસીયા તેલ આપવાનું નક્કી થયું છે. જેની બજાર કિંમત રૂ. ૧૬૦ આસપાસ થાય તે ૧ લીટર કપાસીયા તેલનું પાઉચ માત્ર રૂ. ૯૩માં અપાશે.

સરકાર દ્વારા જન્માષ્ટમી વખતે પણ કપાસીયા તેલનું વિતરણ કરાયેલ. તે વખતના ટેન્ડર મુજબ સરકારને પ્રતિ પાઉચની પડતર કિંમત રૂ. ૧૬૩ જેટલી થાય છે. રેશનકાર્ડ ધારક પરિવારને રૂ. ૯૩માં આપી બાકીનો ખર્ચ સબસીડી તરીકે સરકાર ભોગવશે. ઓકટોબર મધ્યે અનાજ વિતરણ સાથે જ સસ્તા અનાજની દુકાનોએથી જ તેલનું વિતરણ કરવામાં આવશે તેમ સરકારી સૂત્રો જણાવે છે.

(11:22 am IST)