Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજપીપળા દરબાર રોડ ઉપર ઇજાગ્રસ્ત ગલુડિયાને 1962 કરુણા એમ્બ્યુલન્સમાં સારવાર અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં રખડતા જાનવરો મોટા પ્રમાણમાં જોવા મળે છે,જેમાં હાલમાં સ્ટ્રીટ ડોગ ની સંખ્યા પણ વધી છે ત્યારે તેવા સમયે ૧૯૬૨ હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા ડોકટરો આ પશુઓ કે જાનવરો બીમાર પડે ત્યારે ખૂબ સરાહનીય તબીબી સેવા આપી તેમને સારવાર આપે છે જેના ઘણા કિસ્સા રાજપીપળા શહેરમાં જોવા મળ્યા છે ત્યારે આજે રાજપીપળાની દરબાર રોડ ઉપર એક ઇજાગ્રસ્ત ગલુડિયાની સારવાર માટે નગરપાલિકાના સફસ્યા કિંજલબેન તડવીએ 1962 કરુણા એમ્બ્યુલન્સને જાણ કરતા ફરજ બજાવતા ડો.અભિમન્યુ અને પાયલટ રમેશભાઈ તત્કાલ ત્યાં આવી ગયા બાદ ઇજાગ્રસ્ત નાનકડા સ્ટ્રીટ ડોગ(ગલુડિયા) ને જરૂરી સારવાર આપી હતી.
 અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર રખડતા જાનવરો માટે પાલીકા સદસ્યા કિંજલબેન તડવી ખાસ રસ રાખી જ્યાં પણ કોઈ બીમાર કે ઇજાગ્રસ્ત જણાઈ તો તુરત પશુ હેલ્પલાઇનને જણ કરી પોતે પણ સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી હાજર રહેતા હોય છે જેમાં એમનો પશુ પ્રેમ સ્પષ્ટ જણાઈ આવે છે

(11:10 am IST)