Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

આજે ગુરુવારે નર્મદા જિલ્લાના ૧૧ કોરોના પોઝિટિવ માંથી ૧૦ દર્દી નાંદોદ તાલુકાના

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં ગુરુવારે નવા ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં આદિત્ય ૧ નાંદોદના વડિયા ૨ રાજપરા ૪ કરાઠા ૧ નરખડી ૧ પ્રતાપનગર ૧ તેમજ તિલકવાળાના કચ્છીયાવાડ ૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં ૧૫ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૫ દર્દી દાખલ છે આજે ૧૧ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૮૪૨ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૯૦૦ પર પહોચ્યો છે.આજે વધુ ૫૭૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(6:30 pm IST)