Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજ્યની વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ૧૦ કર્મચારીઓની બદલીનો ઘાણવો

ગાંધીનગર : રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરી-ગાંધીનગર કચેરીમાં માં ફરજ બજાવતા ૧૦ જેટલા કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં એ.એફ. જાદવને નડીયાદ, જે.એમ. પટેલને સુરત, હિતેશ દેસાઇને નવસારી, વિનય પટ્ટણીને જામનગર, ભાવિક આર. પટેલને ન્યારા (તાપી), કે.એ. કુરેશીને અમદાવાદથી બદલી ગાંધીનગર, જે.એમ. સોજીત્રાને જૂનાગઢથી બદલી ગાંધીનગરમાં, ડી.એલ. ચૌધરીને વલસાડથી ગાંધીનગરમાં, જી.એલ. ભુસડીયાને મોરબીથી ગાંધીનગર ખાતે તથા પી.જી. ડામોરને ગાંધીનગરથી પોરબંદર એ મુજબ બદલીઓ કરવાના હૂકમો આપ્યા છે.

(4:53 pm IST)