Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

નવરાત્રીમાં રાષ્ટ્રભક્તિનો સંગમ રચાયો : આર્ટિકલ 370 અને અખંડ ભારત લખેલા ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા

નવલા નવરાત્રી માટે કારીગરો દ્વારા અવનવા ગરબા તૈયાર

 

અમદાવાદ : નવલા નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બજારમાં અવનવા ગરબા તૈયાર કરવા કારીગરો મહેનત કરી રહ્યા છે હાલમાં બંગાળી ગરબાથી માંડી કલમ 370 અને અખંડ ભારત લખેલા ગરબાએ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે.

   ગરબાની ગણના આદ્યશક્તિના શક્તિ પુંજ સમાન કરવામાં આવે છે એવુ કહેવાય છે કે, ગરબાને પહેલા દીપગર્ભો ઘટ:તરીકે ઓળખવામાં આવતો હતો. જે બાદ દીપગર્ભોમાંથી દીપ શબ્દનો લોપ થઇનેગર્ભોઅને એમાંથી અપભ્રંશ થઇને ગરબો શબ્દથી ઓળખાતો થયો. એવુ કહેવાય છે કે નવરાત્રી દરમિયાન ગરબાને માતાજીનું સ્વરુપ માનીને તેની પુજા કરવામાં આવે છે. ઘરમાં રાખવમાં આવતો ગરબો કોઈ નાની સુની બાબત નથી ગણાતી. ઘરમાં રાખવામાં આવતો ગરબો આદ્યશક્તિની શક્તિ પુંજ સમાન તેની ગણના કરવામાં આવે છે.

    સમયાનુસાર ગરબાનું સ્વરુપ બદલાયુ છે. તેની બનાવટની રીત પણ બદલાઈ છે. એક સમય હતો જ્યારે માત્ર કોઈ પણ જાતના કલર વગર લોકો માટીના ગરબાનું સ્થાપન કરતા હતા. જે બાદ ગરબા પર કલર કરવાના શરુ થયા. ત્યાર બાદ ગરબાને શણગારવાનુ કામ શરુ થયુ. જુદા જુદા મીરર વર્ક કરવાના શરુ કરવામા આવ્યું. તો સાથે ભુતકાળમાં મોદી ગરબાએ પણ બજારમાં ધુમ મચાવી હતી.

તાજેતરમા કેન્દ્ર સરકારે જમ્મુ કાશમીરમાંથી કલમ 370 હટાવતા, વર્ષે ગરબામાં કલમ 370 લખેલા જોવા મળી રહ્યા છે. તો સાથે ગરબા પર અખંડ ભારત પણ લખવામા આવે છે.

 

 

(11:44 pm IST)