Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ગાંધીનગરમાં એક વ્યક્તિની ગોળીમારીને હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દેનાર આરોપીએ ગુનાહની કબૂલાત કરી: પોલીસને ગટરમાંથી મૃતકની ખોપડી મળી આવતા અરેરાટી

ગાંધીનગર: શહેરમાં એક પછી એક ત્રણ હત્યા કરનારા સિરીયલ કિલર વિશાલ માલીએ પુછપરછમાં તેણે કૃષ્ણનગરમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરીને લાશ ગટરમાં ફેંકી દીધી હોવાની કબુલાત કરી હતી.જેમાં લાંબી શોધખોળ બાદ દાસ્તાન સર્કલ નજીક ગટરમાંથી પોલીસે મૃતકની ખોપરી તથા હાડકામળી આવ્યા હતા. તપાસમાં ખોપરીમાં ગોળીનું નિશાન હોવાનું બહાર આવ્યું છે, એમ સીઆઈડી ક્રાઈમ પોલીસે જણાવ્યુંહતું.

બનાવની વિગત મુજબે ગાંધીનગર જિલ્લામાં લૂંટના ઈરાદે ત્રણ વ્યક્તિની હત્યા કરનારા સિરીયલ કિલર મદન ઉર્ફે વિશાલ ઉર્ફે મહેશ ભંવરલાલ માલીએ ત્રણ મહિના અગાઉ લુંટના દાગીના લેનારા વિશાલ પટેલની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. કઠવાડા વિસ્તારમાં કારમાં વિશાલની ગોળી મારીને હત્યા કર્યા બાદ તેણે તેની લાશ ઓઢવ રિંગરોડ પર દાસ્તાન સર્કલ નજીક ગટરમાં ફેંકી દીધી હોવાનું પોલીસને જણાવ્યું હતું. સીઆઈડી ક્રાઈમની ટીમે ફાયરબ્રિગેડની ટીમ સાથે મળીને તપાસ કરવા છતા લાશનો પતો લાગ્યો હતો.

(5:02 pm IST)