Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી : અન્ય બે ઘરોને પણ નુકશાન : એક વ્યક્તિને ઇજા

પાંચકુવા વિસ્તારના મોહલ્લાનગરમાં એક જર્જરીત મકાન પડ્યું

અમદાવાદમાં ફરી એક જર્જરિત મકાન તૂટી પડ્યુ છે. જર્જરીત મકાનની દિવાલ આજુબાજુના મકાન પર તૂટી પડતા અન્ય બે મકાનોને પણ નુકસાન થયું છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે.

 આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના પાંચકુવા વિસ્તારના મોહલ્લાનગરમાં એક જર્જરીત મકાન પડ્યું છે  જર્જરીત મકાનની દીવાલ આસપાસના આવેલા બે મકાનો ઉપર પડતા અન્ય બે મકાનોને પણ નુકસાન થયું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ માત્ર એક વ્યક્તીને સામાન્ય ઇજા પહોંચી છે. જે મકાન પડયું છે તે મકાનના માલિક છેલ્લા કેટલાક સમયથી અન્યત્ર જતા રહ્યા છે.

  પડોશીઓએ મકાન મરામત કરાવવા માટે કહ્યુ હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામા આવી ન હતી કોર્પોરેશન દ્વારા આ મકાનને કોઇ નોટિસ આપવામાં નથી આવી. આ મહોલ્લામાં હજી જર્જરીત મકાનો છે મકાન પડવાના સમાચાર મળતા કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે આવ્યા હતા અને અને જરૂરી કાર્યવાહી કરી હતી.

(9:40 pm IST)