Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

બોડેલી નજીક કેનાલમાં ભંગાણ આવતા પાણી વેડફાયું

બોડેલી:તાલુકાના રાજબોડેલી-કોસીન્દ્રાની નર્મદા સબ માઈનોર કેનાલમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણી કોતરમાંથી નદીમાં વહી જઈ રહ્યું છે. ખરેડા ગામના ખેડૂતે તંત્રને જાણ કરવા છતાં પાણીનો વેડફાટ રોકવા તંત્રને કાંઈ પડી નથી.

બડેલી તાલુકાના રાજબોડેલી ગામથી નર્મદા મુખ્ય કેનાલમાંથી સબમાઈનોર કેનાલ ખરેડા, કોસીન્દ્રા, ભાટપુર સુધી ખેડૂતોને સિંચાઈ માટે આશીર્વાદરૂપ  છે.

છેલ્લા ૨૫ દિવસથી વરસાદ ન વરસતા ખેડૂતોના મહામૂલા પાકને નુકશાન  થતુ અટકાવવા ખેડૂતો માઈનોર કેનાલમાંથી પાણી લઈ  રહ્યાં છે. જ્યારે ગયા ઉનાળામાં  સરકારે માઈનોર  કેનાલોમાં પાણી બંધ કર્યા બાદ જરૂરી જગ્યાએ માઈનોર કેનાલની મરામત ન કરતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

(3:31 pm IST)