Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આણંદ તાલુકાના ઓડ નજીક નજીવી બાબતે એકને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો

આણંદ: તાલુકાના ઓડ નજીક આવેલા કણભઈપુરા ખાતે આજે સવારના સુમારે માનસિંહભાઈ મગનભાઈ ભોઈ પોતાના ખેતરે હાજર હતા ત્યારે નજીકમાં જ ખેતર ધરાવતા નીલેષભાઈ બાબુભાઈ ભોઈ, બાબુભાઈ અંબુભાઈ ભોઈ તથા પરેશભાઈ અંબુભાઈ ભોઈ પાવડાનો દસ્તો તેમજ લોખંડની પાઈપ લઈને આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને ખેતરમાં જવા-આવવાના રસ્તા બાબતે કેમ ઝઘડા કરે છે તેમ જણાવીને ગડદાપાટુનો માર માર્યો હતો. 

 


ત્યારબાદ નીલેષભાઈએ પોતાની પાસેનો દસ્તો ડાબા પગના થાપા ઉપર મારી દીધો હતો જ્યારે પરેશભાઈએ લોખંડની પાઈપ બન્ને પગના ઢીંચણ ઉપર તેમજ બરડામાં મારીને ઈજાઓ પહોંચાડી હતી. 

(3:31 pm IST)