Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

નડિયાદ રેલવે સ્ટેશન પરથી સુનાવણી મહિલા પડી જતા સારવાર દરમ્યાન મોત

નડીયાદ: રેલવે સ્ટેશન ઉપર મધરાત્રે પડી ગયેલ મહિલાને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા. જ્યાં મહિલાનું જ સારવાર દરમ્યાન મોનું નિપજ્યું હતું. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ પેટલાદ તાલુકાના સુણાવમાં રહેતા ગીતાબેન પીનુલાલ ઠાકોર (ઉ. વ. ૪૫)રાત્રીના ૧:૩૫ કલાકે ટ્રેનમાંથી ઉતરી નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-૧ ઉપર ચાલીને બહાર આવતા હતા ત્યારે પડી જતા ગીતાબેન ઠાકોરને માથામાં ઈજા થઈ હતી જેથી તેમને તુરંત જ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબીયત નાજુક હોઇ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ. 

આ બનાવ અંગે જે.બી.શાહ અમદાવાદ સિવિલ હોસ્પિટલને જાણ કરતા નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(3:29 pm IST)