Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

નોકરીઓમાં અનામત કોંગ્રેસે આપી: કોંગ્રેસે બંધારણ મુજબ અનામત આપવાની વાત કરી :કોંગી નેતા મધુસુદન મિસ્ત્રી

આશ્રમ શાળાઓ પણ કોંગ્રેસના સમયમાં જ શરૂ કરાઈ :આદિવાસી બિલ ભાજપે અભેરાઈએ ચડાવતા હજારોની સ્થળાંતર

અમદાવાદ :અનામત મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને લઈને કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીએ પલટવાર કરીને પ્રતિક્રિયા અપાતા કહ્યું કે કોંગ્રેસે બંધારણ હેઠળ અનામત આપવાની વાત કરી છે. નોકરીઓમાં અનામત કોંગ્રેસે આપી છે.

આશ્રમ શાળાઓ પણ કોંગ્રેસના સમયમાં જ શરૂ કરાઈ હતી. તો જમીનના મુદ્દાનો ઉલ્લેખ કરીને એમ પણ કહ્યુ કે આદિવાસી બિલ ભાજપે અભરાઈએ ચઢાવી દીધું છે. રાજ્ય સરકારની નીતિના કારણે આદિવાસી વિસ્તારોમાંથી હજારો લોકો સ્થળાંતર કરે છે.

(6:07 pm IST)