Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

દાદરા-નગર હવેલીના કલેકટર તરીકે નિમાયેલ જાંબાજુ ઓફિસરનું રાજીનામું

દાદરા અને નગર હવેલીના કલેકટર તરીકે નિયુકત થયેલ શ્રી કાનન  ગોપીનાથ ઇન્ડીયન એડામીનીસ્ટ્રેશન સર્વીસ (આઇએએસ)માંથી રાજીનામું આપી દીધું છે

ગયા વર્ષ કેરળના મહાભયાનક પૂર હોનારતમાં તેમના નિસ્વાર્થ પ્રયાસોએ દેશભરનું ધ્યાન ખેચલેં અને ભારે પ્રશંસા મેળવેલ.

તેઓએ રાજીનામું આવ્યું ત્યારે દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટી તંત્રમાં શ્રી કાનન ગોપીનાથન ઉર્જા, શહેરી વિકાસ અને કૃષિ  જેવા મહત્વના ખાતાઓના હવાલો સંભાળતા હતા.

તેમણે રાજીનામુ આપતી વેળાએ એવુંહ મંતવ્ય દશાવેલ છે કે તેમની ફરજોના નિયમનોને લીધે તેઓ પોતાના અભિપ્રાયો મુકતપણે દર્શાવી નહિ શકે.

જો કે તેમણે કહેલ કે મારૂ રાજીનામું સ્વીકારાય જાય નહિ ત્યાં સુધી તેઓ કર્મચારી તરીકે કાર્યરત છે.(૨૨.૪)

(12:25 pm IST)