Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

આણંદ : વાસદ રેલવે સ્ટેશન નજીક અગમ્ય કારણોસર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી 40 વર્ષીય શખ્સે આપઘાત કરતા ચકચાર

આણંદ: નજીક આવેલા વાસદના રેલવે સ્ટેશન નજીક મહિસાગર બ્રીજ પાસે ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના સુમારે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી નવજીવન એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મુકીને એક ૪૦ વર્ષીય યુવાને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ આણંદ રેલવે પોલીસને થતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મરણ જનારની યુવાનની લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.  અંગે આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વર્ણનના આધારે વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. યુવાને શરીરે સફેદ આછી કોફી કલરની લાઈનીંગવાળુ શર્ટ તેમજ કાળુ પેન્ટ પહેર્યું છે અને જમણા હાથના કાંડા ઉપર ફૂલની ડિઝાઈન કોતરાવેલી છે. 

 


 

 

(11:29 am IST)