Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

સામખિયાણી રેલવે સ્ટેશન પાસે પાણીમાંથી 9 લોકોને બચાવનાર આરપીએફના કોન્સ્ટેબલનું બહુમાન કરાયું

કોન્સ્ટેબલ શિવચરણે જીવના જોખમે 9 મજૂરોનું રેસ્ક્યુ કર્યું હતું ;રેલતંત્રે બહુમાન કર્યું

અમદાવાદ :સામખીયાણી રેલવે સ્ટેશન પાસે મોટા પાયે પાણી ભરાતા 9 લોકો ફસાયા હતા. આ વ્યક્તિઓને બચાવાની કામગીરી અમદાવાદ રેલવે ડિવીઝનના આરપી એફના કોન્સ્ટેબલ શીવચરણસિંહે કરી હતી. આ કામગીરી બદલ રેલ ડીપાર્ટમેન્ટ દ્વારા તેનુ બહુમાન કરવામા આવ્યુ હતું.

સામખીયાણી રેલવે સ્ટેશન પાસે પાણીમાં ફસાયેલા નવ મજુરોને બચાવવા માટે આરપીએફના કોન્સટેબલ શીવચરણે જીવના રેસ્ક્યું કર્યું હતું. સાડા ત્રણ કલાક સુધી પાણીમાં તે તરતો રહ્યો અને નવ મજુરોને બચાવ્યા હતા. આ ઘટનાની જાણ છતાં સિનિયર પોલીસ અધિકારીઓને થતા તેમણે શીવચરણને શાબાશી આપી હતી. મહેસાણામાં ફરજ બજાવતા શીવચરણ મુળ રાજસ્થાનના વતની છે.

(8:11 pm IST)