Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

માલપુર તાલુકાના સુરજપુરકંપા ગામની સીમમાં ઝાડીઓ વચ્ચે મૃત બાળક સહીત મહિલાનો મૃતદેહ મળી આવતા અરેરાટી મચી જવા પામી

માલપુર:તાલુકાના સુરજપૂરકંપા ગામની સીમમાં આવેલી ઝાડીઓ વચ્ચે  એક વૃક્ષ ઉપર લટકતી હાલતમાં એક બાળક અને મહિલાના મૃતદેહ મળી આવ્યો હતો  અને મૃતદેહ અણદાપુર ગામના એક પરીવારના માતા-પુત્રનો હોવાનું જણાતાં રહસ્યમઈ મોતનું લઈ ભારે કરૂણતા પ્રસરી હતી. જોકે પ્રથમ દ્દષ્ટિએ મોત સાડીનો ફાંસો બનાવી ગળે ટૂંપો આવતાં થયો હોવાનું જણાતું હતુું.પરંતુ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડતાં અને મૃત મહિલાના સગાસંબંધી ઓએ ભારે હોબાળો મચાવતાં પોલીસે પ્રકરણે વધુ તપાસ હાથ ધરી હતી અને મોડે સુધી માતા,દીકરા અને ગર્ભસ્થ બાળકના મોત સહિત જણાના અકાળે મોત નું કારણ અકબંધ રહયું હતું.

 શુક્રવારે વહેલી સવારે માલપુર તાલુકાના સુરજપુરા ગામની સીમમાં ગીચઝાડીઓ વચ્ચે ઘેરાયેલા એક વૃક્ષ ઉપર સાડીનો ગાળીયો બનાવી લટકતી હાલતમાં બે મૃતદેહ જોવા મળતાં ચકચાર મચી હતી. ચકચારી ઘટના અંગે પોલીસને જાણ થતાં માલપુર પોલીસ સબ ઈન્સ્પેકટર એફ.એલ.રાઠોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વૃક્ષની ઉંચી ડાળીએથી લટકતા મૃતદેહોની ઓળખ થતાં ૨૨ વર્ષિય મહિલા વીભાબેન મહેન્દ્રભાઈ પરમાર અને તેમનો વર્ષિય પુત્ર ધુ્રવીલ અણદાપુર ગામના હોવાનું અને મહિલા ગર્ભવતી હોવાનું જણાઈ આવ્યું હતું. કરૂણ ચકચારી ઘટનાને પગલે મૃતક મહિલાના પીયર વાંકાનેડા(સુવરાચાર) થી સંબંધીઓ દોડી આવ્યા હતા અને મોતને લઈ તરહ તરહના આક્ષેપો કરાતા ઘટના સ્થળે હોબાળો મચ્યો હતો. પરંતુ સ્થળ ઉપર હાજર પોસઈ એફ.એલ.રાઠોડ સહિત ટીમે સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.માલપુર પોલીસ દ્વારા ચકચારી મોતને લઈ એફએસએલ ની ટીમ સ્થળ ઉપર ઉતારાઈ હતી.વિભાબેન મહેન્દ્રભાઈ પરમાર ..૨૨ અને ધુ્રવીલ મહેન્દ્રભાઈ પરમાર .. ના મોતને લઈ સઘન તપાસ હાથ ધરાઈ હતી.

(5:31 pm IST)