Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

પેટલાદની કોલેજ ચોકડી નજીક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 87 હજારની મતાની ઉઠાંતરી કરી

પેટલાદ:શહેરની કોલેજ ચોકડી પાસે આવેલી પ્રમુખ કૃપા સોસાયટીમાં એકાદ મહિના પહેલા ંત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનના તાળા તોડીને અંદરથી ૮૭ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે ધરફોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રશાંતકુમાર પ્રમોદરાય ઉપાધ્યાય છેલ્લા એકાદ વર્ષથી સ્વામિનારાયણ મંદિરમાં રહીને સેવાપૂજા કરવાનું કામકાજ કરે છે. તેઓનું પેટલાદની કોલેજ ચોકડી પાસે પ્રમુખ કૃપા સોસાયટીમાં આવેલું મકાન બંધ હાલતમાં જ છે. 

(6:07 pm IST)