Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વિશ્વામિત્રી નદીની વધશે સુંદરતા, શુધ્ધિકરણ પણ કરાશે

સમગ્ર પ્રોજેકટ ઉપર આશરે ૩૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું અનુમાન

અમદાવાદઃ  વિશ્વામિત્રી નદીની સુંદરતા વધારવા માટે અંદાજે ૩૫૦૦ કરોડ રૂપિયાની કિંમત સૂચવવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વી.એમ.સી.) દ્વારા પંચમહાલ જિલ્લાના પાદરા તહસીલના પાવાગઢથી પિંગલવાડા ગામ સુધીની ૧૭૮ કિલોમીટર લાંબી નદીના વિસ્તૃત પ્રોજેકટ રિપોર્ટ (ડીપીઆર) ની તૈયારી પર ૪ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિશ્વામિત્રી નદીની સુંદરતા અને શુદ્ધિકરણ વધારવા માટે એક ઘોષણા કરવામાં આવી હતી. આ અંતર્ગત પાવાગઢથી પિંગલવાડા ગામ સુધીની વિશ્વામિત્રી નદીનો પ્રોજેકટ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવાનો પ્રસ્તાવ છે. તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે, ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં લોક પ્રતિનિધિઓ અને અધિકારીઓની બેઠકોનો દોર શરૂ થયો છે.

જો કે આ જાહેરાત બાદથી રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. હવે પ્રોજેકટ માટે વીએમસી દ્વારા ડીપીઆર તૈયાર કરવા માટે સલાહકારની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે લગભગ ૪ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને આખા પ્રોજેકટ પર આશરે ૩૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે.

ભૂતકાળમાં તૈયાર કરાઈ ૧૭ કિમીની ડીપીઆર

વિશ્વામિત્રી પ્રોજેકટના અમલીકરણ માટે, વિશ્વામિત્રી નદીના ૧૭ કિલોમીટરના વિસ્તાર માટે ડીપીઆર તૈયાર કરવામાં આવી હતી, જે વીએમસીના સીમા ક્ષેત્રથી નીકળે છે. આના પર સલાહકારને રૂ ૧.૨૫ કરોડની ચુકવણી કરવામાં આવી હતી. તે -ોજેકટની કિંમત ૪૫૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી.

શુદ્ધિકરણ પ્રોજેકટ પર અત્યાર સુધી ૩૦ કરોડનો ખર્ચ

વડોદરા શહેરમાંથી નીકળતી વિશ્વામિત્રી નદીની સુંદરતા વધારવા માટે પૂર્વ મેયર બાલકૃષ્ણ શુકલાના કાર્યકાળ દરમિયાન વિશ્વામિત્રી શુદ્ધિકરણ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી. હજી સુધી આનો અમલ કરવામાં આવ્યો નથી અને આશરે ૩૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, તેમ છતાં, વિશ્વામિત્રી નદીમાં ગંદુ પાણી પહોંચી રહ્યું છે.

(3:29 pm IST)