Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વિરમગામ તાલુકાના શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય મણિપુરામાં 800 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

વૃક્ષારોપણની સમગ્ર કામગીરી વિરમગામ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વન અને પર્યાવરણ સંરક્ષણ વિભાગ દ્વારા શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય મણિપુરામાં આજે 800 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. સરકારની યોજના મુજબ ખાડા કરી વૃક્ષારોપણની સમગ્ર કામગીરી વિરમગામ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા અને શ્રી સ્વામિનારાયણ કેળવણી મંડળના પ્રમુખ રામજીભાઈ પટેલ,મંત્રી  નાગજીભાઈ પટેલ, મંડળના સભ્ય અને અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય પ્રમોદભાઈ પટેલ ,શાળા સ્ટાફ ,શાળાના આચાર્ય દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. પર્યાવરણના યોગદાનમાં અમારી શાળા દ્વારા આ બીજા તબકકાનું વૃક્ષારોપણ છે. આ તબક્કે અમદાવાદ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ અને બાંધકામ સમિતિના સભ્ય પ્રમોદભાઈ પટેલનો સહકારનો અમુલ્ય રહ્યો હતો. શાળાના જ વિદ્યાર્થી અને શાળાના ટ્રસ્ટી મંડળના જ સભ્ય તરીકે તેમનું યોગદાન અભૂતપૂર્વ છે.

(12:11 pm IST)