Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ડાકોરમાં અપશબ્દો બોલવા બાબતે યુવાનની ચપ્પુના ઘા જીકી થયાએ કરપીણ હત્યાથી અરેરાટી

ડાકોર: શહેરની ભક્તિપાર્ક સોસાયટીમાં આજે સાંજના સુમારે ગાળો બોલવાની બાબતે થયેલી તકરારમાં ત્રણ શખ્સોએ બે ઉપર ચપ્પાથી હુમલો કર્યો હતો. જેમાં એકનું સારવાર મળે તે પહેલાં જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે ડાકોર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ફરિયાદી કૌતુકકુમાર ચંદુભાઈ પ્રજાપતિ ડાકોરની ભક્તિપાર્ક સોસાયટીમાં રહે છે. આજે સાંજના પાંચેક વાગ્યાના સુમારે રાજસ્થાનના ભીલવાડા સાંગાનેર ખાતે રહેતો અખીલ રમેશચન્દ્ર આગલ તેમના ઘર આગળથી ગમે તેમ ગંદી ગાળો બોલતો બોલતો આવતો હોય કૌતુકકુમારે તેને ગાળો નહીં બોલવાનું જણાવતા જ બન્ને વચ્ચે ઝપાઝપી તથા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ અખિલ કૌતુકકુમારના ઘરમાં નજર નાંખતો નાંખતો પસાર થઈને ગમે તેવી ગાળો બોલતો જ હતો. જથી કૌતકુમાર તથા આસપાસના લોકોએ તેને ગાળો બોલવાની ના પાડી હતી. તકરાર વધતાં જ અખિલનું ઉપરાણું લઈને જગદીશભાઈ બંસીભાઈ શાહ સંજયભાઈ બંસીભાઈ શાહ આવી ચઢ્યા હતા અને નિર્મલભાઈ ઘનશ્યામભાઈ પટેલ (ઉ. વ. ૩૪)સાથે ઝઘડો કરીને સંજયે તેમને પકડી રાખ્યા હતા જ્યારે અખિલે પોતાની પાસેનું ચપ્પુ કાઢીને નિર્મલભાઈને પેટના ભાગે જોરથી મારી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. 

(5:24 pm IST)