Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

નડિયાદમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીના વાલી સાથે એલસી આપવા બાબતે ઉદ્ધતાઇપૂર્વક વર્તન કરતા પોલીસ ફરિયાદ

નડિયાદ: શહેરના જવાહર નગર વિસ્તારમાં આવેલ એક શાળાના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીના વાલી સાથે ઉધ્ધતાઇપૂર્વક વર્તન કર્યુ હોવાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે. વિદ્યાર્થીના પરીણામથી નાખુસ માતા-પિતાએ પોતાના બાળકને અન્ય સ્કૂલમાં મુકવાનો હોવાથી શાળામાં એલ.સી. કઢાવવા માટે અરજી કરી હતી. પરંતુ શાળાના પ્રિન્સિપાલે એલ.સી. આપવાના બદલે પ્રગતિપત્રકમાં લાલ શેરો મારવા ઉપરાંત સંતાનોની કારકીર્દી ખરાબ કરી દેવાની ધમકી આપતા વાલીએ ઉચ્ચ કક્ષાએ ન્યાયની માંગ સાથે ફરીયાદ કરી હતી. હાલ નડિયાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ શહેરના જવાહર નગર વિસ્તારમાં નારાયણનગર સોસાયટીમાં ગીતાબેન કિરીટભાઇ લુહાર રહે છે. ગીતાબેનનો દીકરો તપન જવાહરનગર વિસ્તારમાં આવેલ પ્રગતિ પ્રા.શાળામાં ધો.૭માં અભ્યાસ કરે છે. જેને ૨૦૧૮-૧૯ના વર્ષમાં ધો.૭ માં ઉપર ચઢાવવા આવ્યો હતો. 

(5:22 pm IST)