Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

સુરત અગ્નિકાંડ : ૩ર ઇજનેરોએ રાજીનામા ફગાવ્યા

અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ અને ધરપકડના ઘેરા પ્રત્યાઘાત-ખળભળાટ

રાજકોટ, તા. ર૪ : સુરતના સરથાણાના તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડમાં રર ભૂલકાના મોત થયા બાદ મનપાના અધિકારીઓ સામે પોલીસ ફરીયાદ અને ધરપકડના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મનપાના ૩ર ઇજનેરોએ સાગમટે રાજીનામા ધરી દઇને વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર અને ગુજરાત સરકારમાં ઉચ્ચસ્તરે હાઇકોર્ટના વકીલ કુમારેશ ત્રિવેદી દ્વારા રજૂઆત કરાઇ છે.

સુરત મનપાના ટેકિનલ સ્ટાફે વકીલ કુમારેશ ત્રિવેદી હસ્તક કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સુરત પોલીસ દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ અંગે એસએમસી ના અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેલભેગા કરવામાં આવ્યા છે. આના કારણે એએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ અને કર્મચારીઓનું મોરલ તૂટી ગયું છે. સાયન્ટીફીક લેવલે તપાસ કર્યા વિના ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંતના ધરપકડ કરાયેલા અધિકારીઓ-કર્મચારીઓને મુકત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રિટાયર જજ પાસે તપાસ કરાવી તક્ષશિલાની ઇમ્પેકટ ફી મંજુર કરવા માટે એસએમસીના અધિકારીઓ જવાબદાર છે કે નહીં તેવી માંગ કરવામાં આવી છે. ટેકિનકલ સ્ટાફ મહામંડળ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. ધરપકડને લઇ ૩ર જેટલા ઇજનેરો એ અનિચ્છાએ પણ સ્વૈચ્છિક રિટાયમેન્ટ એટલે કે રાજીનામા આપી દેવાની ફરજ પડી છે. 

(3:41 pm IST)