Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

વાવના ધારાસભ્‍ય ગેનીબેન ઠાકોર ફરી વાણીયાઓ પર નિવેદન કરી વિવાદમાં ફસાયા

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ફરીથી વધુ એક વખત વિવાદિત નિવેદન આપીને તેઓ ભારે ચર્ચામાં આવ્યાં છે. ધાનેરાની ઠાકોર સંમેલનની જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઠાકોરોને વણિકોએ પછાત રાખ્યાં છે. દુષ્કાળ સમયે ઘર છોડવા દીધું નહીં અને ઉધાર આપીને ઠાકોરો પાસેથી જમીન પડાવી લીધી.

ઉલ્લેખનીય છે કે, ધાનેરામાં યોજાયેલ એક સભામાં ગેનીબહેને આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સભામાં અલ્પેશ ઠાકોર, રાધનપુર ધારાસભ્ય અને ગેનીબેન ઉપસ્થિત રહ્યાં હતાં.

ત્યારે મહત્વનું છે કે તેમણે ઠાકોર અને વાણિયા અંગેનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જો કે હવે તેમનાં નિવેદનને લઇને બે સમાજ વચ્ચે મતભેદ ઊભા થઇ શકે તેવું બની શકે. મહત્વનું છે કે, ગેનીબેન વાંરવાર પોતાનાં વિવાદીત નિવેદનથી સતત ચર્ચામાં રહે છે. ત્યારે અગાઉ પણ તેઓએ સત્તાધીશોને મારી નાખવાનું વિવાદિત નિવેદન આપ્યું હતું.

(9:09 pm IST)