Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

રાજ્યમાં વ્યાજખોરોનો આતંક :અમદાવાદમાં વ્યાજખોરે મહિલા પર બળાત્કાર ગુજાર્યો :ઇડરમાં વ્યાજખોરના ત્રાસથી આધેડની આત્મહત્યા

 

અમદાવાદ :રાજ્યમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. મોટા શહેરોથી માંડીને નાના ગામ સુધી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ હોય કે પછી વડોદરા દરેક જગ્યાએ વ્યાજખોરોના ખપ્પરમાં લોકો હોમાઈ રહ્યાં છે.

  અમદાવાદમાં એક વ્યાજખોરે મહિલા પર બળાત્કાર પણ ગુજાર્યો છે. મહિલાએ પૈસા ચૂકવ્યા હોવા છતા પણ વ્યાજખોરે બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
  
ઇડરમાં વ્યાજખોરનાં ત્રાસથી આધેડે આત્મહત્યા પણ કરી છે બીજીતરફ  હિપોલીનના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. હિપોલીનની વ્યાજખોરીમાં ભાજપના યુવા નેતાઓ પણ સામેલ હોવાનો ખુલાસો થયો છે.

(10:21 pm IST)