Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

સુરતમાં કોરોનાનો કહેર : નવા 35 પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લામાં કુલ કેસ 1372 : એક નું મોત : મૃત્યુઆંક 62

આજે વધુ 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : જિલ્લામાં સ્વસ્થ થયેલ દર્દીઓનો આંકડો 991 થયો

સુરત : સુરતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહયો છે ત્યારે આજે સાંજ સુધીમાં નવા 35 કેસ નોંધાયા છે આ સાથે સુરતમાં કુલકેસ 1279 થયા છે જયારે સુરત જિલ્લામાં કોરોનાના કુલ કેસ 1372 થયા છે આજે સુરતમાં એક દર્દીનું કોરોનથી મૃત્યુ થયું છે આ સાથે સુરતમાં 60 અને જિલ્લામાં 2 મળીને કુલ મૃત્યુઆંક 62 થયો છે

  આજે સુરતમાં વધુ 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 991 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

(6:44 pm IST)