Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સુરતમાં અગ્નિકાંડથી મોતને ભેટેલા છાત્રોના મૃતદેહ સ્વિમેર હોસ્પિટલમાં :પરિવારજનોનું હૈયાફાટ રુદન

સુરતના સરથાણા વિસ્તારમાં ટ્યુશન કલાસીસની આગે 20 લાડકવાયા સંતાનોને ભરખી ગઈ છે મોડું મોડું પણ ફાયર બ્રિગેડે બચાવ કામગીરી તો શરૂ કરી, પરંતુ ત્યાં સુધીમાં અમુક વિદ્યાર્થીઓ આગમાં હોમાઇ ચુક્યા હતા તેઓ બળીને ભડથું થઇ ચુક્યા હતા. કેટલાકનાં તો ચહેરા પણ ઓળખાય તેવી સ્થિતિ નહોતી.

 આગમાં કુદી અને દાઝીને મોતને ભેટલા તમામના મૃતદેહને સ્મિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. સ્મિમેર હોસ્પિટલ લાશોના ઢગલામાં તબદીલ થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. પીએમ માટે લાવવામાં આવેલા મૃતદેહોથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ.. બીજી તરફ મૃતકોના પરિવારજનોના આક્રંદથી શોકનો માહોલ ઉભો થયો.

(1:06 am IST)