Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સુરતની ટ્યૂશન ક્લાસીસ આગ દુર્ઘટનામાં કસુરવારો સામે કાર્યવાહી કરવામાં આવશે :પોલીસ કમિશનર સતીશ શર્મા

 

સુરતના સરથાણામાં તક્ષશિલા બિલ્ડિંગમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં ભીષણ આગ ભભુકતા 20 જેટલા માસુમ બાળકોના મોત નિપજ્યા છે ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે

   દરમિયાન સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્માના જણાવ્યું હતું કે, ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અંદાજે 100થી વધુ પોલીસ ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને સ્થાનિક લોકોએ કાબુમાં લેવા માટે કામે લાગ્યા છે. આ ઘટનામાં જે પણ કશુરવાર હશે તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથધરવામાં આવશે.

(11:23 pm IST)