Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સુરતમાં આગની દુર્ઘટના :ફાયર બ્રિગેડે ચાર મહિના પહેલા બિલ્ડિંગને નોટિસ ફટકારી હતી;રાજ્યભરમાં આઘાતનું મોજું

ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાયેલી:ક્લાસિસમાં અંદર જવાનો કોઇ રસ્તો ન્હોતો પણ આગને ચીરીને જવાનો પહોંચ્યા

      ફોટો aag

સુરત આગની ઘટનામાં 20 જેટલા માસુમ બાળકોના મોત બાદ રાજ્યભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. મુખ્યમંત્રીથી લઇને પીડિતો જવાબદાર સામે પગલા લેવાની વાત કરી રહ્યાં છે ત્યારે  સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે અગાઉ ચાર મહિના પહેલા જ શહેરના ફાયર બ્રિગેડ દ્વારા આ ક્લાસીસને નોટિસ ફટકારવામાં આવી હતી.

  ફાયર અધિકારીએ શું જણાવ્યું હતું કે, ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાયેલી હતી. પરંતુ ક્લાસિસમાં અંદર જવાનો કોઇ રસ્તો ન્હોતો મળતો છતાં પણ આગને ચીરને ફાયર ફાઇટિંગ કરવા લાગ્યા હતા. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન હાથધરાયું છે. તો સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્યૂશન ક્લાસીસ જ્યાં આવેલી છે તે એપાર્ટમેન્ટને ચાર મહિના પહેલા જ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી.

(8:12 pm IST)