Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સુરતમાં આગની દુર્ઘટનામાં મૃત્તક વિદ્યાર્થીઓના પરિવારને 4 લાખની સહાય અપાશે :મુખ્યમંત્રી વિજયભાઈની જાહેરાત

દ્દુર્ઘટના અંગે સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ અપાયો

સુરતમાં સરથાણા પાસેના બિલ્ડિંગમાં આગ લગતા ટ્યુશન કલાસીસના વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. અને રાજ્ય સરકારને અને તંત્રને આગમાં ફસાયેલા લોકોની બચાવ કાર્યપર પર ધ્યાન આપાવા માટે સૂચન આપવામાં આવ્યું છે.

    આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈએ  રૂપાણીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂપિયા 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે સ્થાનિક તંત્ર પાસે ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ આપાવમાં આવ્યો છે.

(7:19 pm IST)