Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મોદી સામે વધુ કાદવ ઉછાળ્યો, વધુ કમળ ખીલ્યાઃ શંકર ચૌધરી

રાજકોટ, તા. ૨૪ :. રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી ભાજપના નેતા શ્રી શંકર ચૌધરીએ લોકસભાના પરિણામને નકારાત્મક રાજનીતિ સામે હકારાત્મક રાજનીતિનો વિજય ગણાવ્યો છે. તેમણે જણાવેલ કે, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ગાળો ભાંડેલ. ઈમાનદાર વડાપ્રધાનને ચોર ગણાવતો આક્ષેપ વારંવાર કરેલ તેનાથી પ્રજાનો રોષ ભભુકયો હતો. પ્રજાએ મતદાનમાં પોતાની લાગણી વ્યકત કરી ફરી મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યકત કર્યો છે. વિપક્ષોએ જેટલો વધુ કાદવ ઉછાળેલ તેટલા વધુ કમળ ખીલ્યા છે. કેન્દ્રની વિતેલા પાંચ વર્ષની સરકારની કામગીરીને જનતાએ મત રૂપી સમર્થન આપ્યુ છે. આવતા પાંચ વર્ષમાં પણ સરકાર સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે યશસ્વી કામગીરી કરશે.

(4:09 pm IST)