Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

અમદાવાદમાં કેનાલમાં કચરો નાખતા એક વ્યક્તિને અધિકારીઓ ભણાવ્યો પાઠ

અમદાવાદઃઅમદાવાદમાં કચરો જ્યાં ત્યાં ફેંકનાર માટે ચેતવવા જેવી ઘટના બની છે શહેરનાં પૂર્વ વિસ્તારમાં કેનાલની સફાઈ કામગીરી સમયે એક વ્યક્તિએ કેનાલમાં કચરો નાખતા તેનો ઉધડો લઈ લીધો હતો અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનાં ડિરેક્ટરે કેનાલમાં કચરો નાખનાર વ્યક્તિને પાઠ ભણાવ્યો હતો

  શહેરમાં હાલ સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલોની સાફ સફાઈ સતત ચાલી રહી છે. ત્યારે અધિકારીની નજર સામે એક વ્યક્તિએ કેનાલમાં કચરો નાખ્યો.હતો જેથી હર્ષદ સોલંકી નામના એક અધિકારી રોષે ભરાયા અને કચરો નાખનારને પાઠ ભણાવ્યો હતો

  સ્વચ્છતા અભિયાન જાળવવા માટે અધિકારીએ કચરો નાખનાર વ્યક્તિને કેનાલમાં ઉતાર્યો અને કેનાલમાં નાખેલો કચરો તેની પાસે સાફ કરાવ્યો. ઘટના કેનાલમાં કચરો નાખનાર લોકોને ચેતવવા સમાન છે.

(1:01 am IST)