Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

કપડવંજ: આંતરોલીની નહેરમાંથી નડિયાદના યુવકનો મૃતદેહ મળી આવ્યો

કપડવંજ:તાલુકાના આંતરોલી સીમમાંથી પસાર થતી નર્મદા નહેરમાંથી આજે સવારે એક મૃતદેહ મળી આવ્યો હતો. આ લાશ નડિયાદના યુવકની હોવાની ઓળખ થવા પામી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના આંતરોલી સીમમાંથી નર્મદા નહેર પસાર થાય છે. આ નહેરમાં આજે સવારે ડૂબી ગયેલ યુવાનની લાશ તણાઈ આવી હતી. આ બનાવની જાણ થતા આંતરસુબા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશને બહાર કઢાવી હતી. જેમાં મૃતક રવિપ્રકાશ મિસ્ત્રી (ઉંમર ૩૨ વર્ષ) રે. નડિયાદ)નો હોવાની ઓળખ થઈ હતી. આ યુવક નડિયાદ પારસ સર્કલ વિસ્તારમાં નોકરી કરતો હોવાનું જાણવા મળેલ છે. આ યુવકે નહેરમાં પડી આપઘાત કર્યો ? કે અકસ્માતે પડી જતા નહેરમાં તણાઈ જતા ડૂબી ગયો તે અંગે લોકોમાં અટકળો થઈ રહી છે. પોલીસે લાશ કપડવંજ જે.બી. મહેતા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે મેહુલકુમાર અરવિંદભાઈ મકવાણા (રે. ઓઢવ, અમદાવાદ) એ જાણ કરતા આંતરસુબા પોલીસે અસ્માત મોતની જાણ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(6:01 pm IST)