Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધ્યા :નીચલા વર્ગના લોકો સાથે અન્યાય :કોંગ્રેસના પૂર્વ સાંસદ કુમારી શૈલજા અમદાવાદમાં પહોંચ્યા

સુરન્દ્રનગરમાં દલિત યુવાનો પર થયેલા અત્યાચાર માટે પણ મુલાકાત લેશે.

અમદાવાદ :કોંગ્રેસના પૂર્વ સાંસદ કુમારી શૈલજા અમદાવાદ પહોંચ્યા છે અમદાવાદ પહોંચતા જ શૈલજાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે. જાનવરો સાથે પણ આવો વ્યવહાર નથી થતો.કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ઉનાકાંડ બાદ આવી ઘટના વધી રહી છે. દલિત સમાજના નીચલા વર્ગના લોકો સાથે અન્યાય વધી રહ્યો છે. તેમજ રાજ્યમાં અને કેન્દ્ર સરકાર દ્વારા એસસી-એસટી એક્ટમાં બદલાવ કરવામાં આવ્યો તે પણ યોગ્ય નથી. તેઓ સુરન્દ્રનગરમાં દલિત યુવાનો પર થયેલા અત્યાચાર માટે પણ મુલાકાત લેશે.

  આ ઉપરાંત હાલમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ કોંગ્રેસ નેતાએ ભાજપની ટીકા કરી છે. તેમણે કહ્યુંકે, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચ્યાં છે અને કર્ણાટકની ચૂંટણી બાદ તેમાં સતત વધારો થયો છે. તેમજ તેઓ અમદાવાદમાં ભાવ વધારા માટે ધારણાં કરશે

(12:37 pm IST)