Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મહેસાણાની રાધનપુર ચોકડી નજીક દવાખાનામાં ગેસ લીકેજ થતા આગ ભભૂકી

મહેસાણા: મહેસાણામાં રાધનપુર ચોકડી નજીક આવેલા ર્ડા. નિલેશ દિક્ષિતના દવાખાનામાં માઇનોર ઓપરેશન થિયેટરમાં ગેસ લીકેજના કારણે મંગળવારે રાત્રે આગ લાગતાં દોડધામ મચી હતી. દર્દીઓને તાત્કાલિક ખાટલા સાથે હોસ્પિટલની નીચે ઉતારી અન્ય આઇસીયુમાં ખસેડાયા હતા. 20 મિનિટની જહેમતને અંતે આગ કાબુમાં આવી હતી.


રાધનપુર ચોકડી પર જનપથ હોટલની બાજુમાં આવેલા ર્ડા. નિલેશ દિક્ષિતના દવાખાનામાં માઇનોર ઓપરેશન થિયટરમાં મંગળવારે રાત્રે 9.30 કલાકે કમ્પાઉન્ડર ઓપરેશનના સાધનો ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રમ ઉકાળી રહ્યો હતો. ત્યારે ગેસ લીકેજને કારણે આગ લાગી હતી. જેને પગલે 8 જેટલા દર્દીઓને તેમના ખાટલા સાથે હોસ્પિટલની નીચે ખુલ્લા સંકુલમાં ખસેડ્યા હતા. કમ્પાઉન્ડર કલ્પેશ અને અન્ય માણસો ગેસની પાઇપ રેગ્યુલેટર સાથે કાઢી ધાબળા અને પાણીની મદદથી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.પાલિકાનું ફાયરબ્રિગેડ પણ આવી ગયું હતું.

(6:33 pm IST)