Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

શાપર-વેરાવળમાં દલિત યુવકની હત્યાના ભરૂચમાં પડઘા :જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

આરોપીને કડકમાં કડક સજા કરી પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગણી

રાજકોટ નજીકના શાપર-વેરાવળમાં દલિત યુવાનને માર મારી હત્યા નિપજાવવાના બનાવનાં રાજ્ય અને દેશભરમાં પડઘા પડી રહ્યા છે.ત્યારે આ ઘટનાને વખોડી કાઢી ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવાયો હતો

   ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, આ દેશમાં ભાજપની સરકારના રાજમાં વારંવાર દલિતો પર અત્યાચાર અને જુલ્મ કરવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હવે પછી આવી ઘટનાઓમાં સાંખી લેવાય નહીં. દલિય યુવાનનું મોત નિપજાવનાર આરોપીને કડકમાં કડક સજા કરી પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

  આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, મહંમદ ફાંસીવાલા, નાજુ ફડવાલા, શેર ખાન પઠાણ અને કોંગ્રેસના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)