અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર આજે રાજ્યમાં 14,97 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 6479 દર્દીઓ રિકવર થયા છે
રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે
મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે
રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 14,097 કેસ નોંધાયા છે જયારે વધુ 6479 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 3,67,972 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 152 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 6171 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 76,38 ટકા થયો છે
રાજ્યમાં હાલ 1,07,594 એક્ટિવ કેસ છે, જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 1,07,198 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,67,972 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે
રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 92,99,215 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 18,71,782 લોકોને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,11,70,997 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી
રાજ્યમાં આજે 60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી કુલ 76,136 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 80,910 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 14,097 કેસમાં અમદાવાદમાં 5683 કેસ,સુરતમાં 2686 કેસ,વડોદરામાં 701 કેસ, રાજકોટમાં 500 કેસ, જામનગરમાં 639 કેસ, મહેસાણામાં 430 કેસ,ભાવનગરમાં 310 કેસ, બનાસકાંઠામાં 291 કેસ,ગાંધીનગરમાં 286 કેસ,જૂનાગઢમાં 248 કેસ, પાટણમાં 212 કેસ,કચ્છમાં 190 કેસ,ભરૂચમાં 154 કેસ, ખેડામાં 146 કેસ, સાબરકાંઠામાં 144 કેસ, નવસારીમાં 143 કેસ,દાહોદમાં 126 કેસ, મહીસાગરમાં 110 કેસ, ગીર સોમનાથમાં 107 કેસ, પંચમહાલ અને વલસાડમાં 105 કેસ, તાપીમાં 104 કેસ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 98-98 કેસ, આણંદમાં 88 કેસ, નર્મદામાં 71 કેસ, અરવલ્લીમાં 67 કેસ, મોરબીમાં 65 કેસ નોંધાયા છે