Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક કેસ સાથે અત્યારસુધીમાં સર્વાધિક 6479 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 14,097 કેસ નોંધાયા : 152 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 6171 થયો : કુલ 3.67,972 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 1.69,366 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 5470 કેસ, સુરતમાં 2817 કેસ, વડોદરામાં 716 કેસ, રાજકોટમાં 719 કેસ, જામનગરમાં 607 કેસ, મહેસાણામાં 476 કેસ, 302 ભાવનગરમાં કેસ, ગાંધીનગરમાં 280 કેસ, બનાસકાંઠામાં 278 કેસ, જૂનાગઢમાં 218 કેસ, કચ્છમાં 210 કેસ, પાટણમાં 165 કેસ, ખેડામાં 129 કેસ, દાહોદમાં 115 કેસ, નવસારીમાં 108 કેસ, વલસાડમાં 107 કેસ, ભરૂચમાં 106 કેસ, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 93-93 કેસ, તાપીમાં 89 કેસ,અમરેલીમાં 87 કેસ,ગીર સોમનાથમાં 85 કેસ, પંચમહાલમાં 83 કેસ, સાબરકાંઠામાં 79 કેસ, મોરબીમાં 61 કેસ , અરવલ્લીમાં 59 કેસ, આણંદ અને છોટા ઉદેપુરમાં 52-52 કેસ અને નર્મદામાં 47 કેસ નોંધાયા : હાલમાં 1,07,594 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર  આજે રાજ્યમાં 14,97 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 6479 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 14,097 કેસ નોંધાયા છે જયારે વધુ 6479 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,67,972 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 152 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 6171 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 76,38 ટકા  થયો છે

     રાજ્યમાં હાલ 1,07,594 એક્ટિવ કેસ છે, જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને  1,07,198 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,67,972 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 92,99,215 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 18,71,782 લોકોને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,11,70,997 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી  કુલ 76,136 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 80,910 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 14,097 કેસમાં અમદાવાદમાં 5683 કેસ,સુરતમાં 2686 કેસ,વડોદરામાં 701 કેસ, રાજકોટમાં 500 કેસ, જામનગરમાં 639 કેસ, મહેસાણામાં 430 કેસ,ભાવનગરમાં 310 કેસ, બનાસકાંઠામાં 291 કેસ,ગાંધીનગરમાં 286 કેસ,જૂનાગઢમાં 248 કેસ,  પાટણમાં 212 કેસ,કચ્છમાં 190 કેસ,ભરૂચમાં 154 કેસ, ખેડામાં 146 કેસ, સાબરકાંઠામાં 144 કેસ, નવસારીમાં 143 કેસ,દાહોદમાં 126 કેસ, મહીસાગરમાં 110 કેસ, ગીર સોમનાથમાં 107 કેસ, પંચમહાલ અને વલસાડમાં 105 કેસ, તાપીમાં 104 કેસ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 98-98 કેસ, આણંદમાં 88 કેસ, નર્મદામાં 71 કેસ, અરવલ્લીમાં 67 કેસ, મોરબીમાં 65 કેસ નોંધાયા છે

(8:50 pm IST)