Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

સુરતમાં તમામ આંગડીયા પેઢી સ્વંયભૂ બંધમાં જોડાઇ: ૨ મે સુધી સ્વૈચ્છિક બંધ પાળશે: સંખ્યાબંધ કર્મચારીઓને કોરોના વળગ્યો: ચેન તોડવા નિર્ણય લેવાયો

કોરોના મહામારીને કારણે મહારાષ્ટ્રમાં લોકડાઉનની જાહેરાત કરાઇ છે. જેને પગલે  સુરતમાં પણ આંગડિયા પેઢી સ્વયંભૂ  બીજી મે સુધી બંધ રહેશે. ઘણા આંગડીયા કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેથી કોરોના સંક્રમણની ચેઇનને તોડવા આંગડીયા પેઢીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે બંધનું એલાન અપાયું છે.

(10:20 pm IST)