Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ઉમરેઠના થામણામાં ઘેટાં બકરા ચરાવવા ગયેલ શખ્સને ચાર ઈસમોએ લાકડાંથી માર મારતા ગુનો દાખલ

ઉમરેઠ: તાલુકાના થામણા ગામની સીમમાં આવેલા ભુલાભાઈ કિરણભાઈ પટેલના ખેતરમાં ઘેટા-બકરાં ચરાવવાની બાબતે ચાર શખ્સોએ ધારીયુ અને લાકડીઓથી હુમલો કરીને બે ભાઈઓને માર મારતાં આ અંગે ઉમરેઠ પોલીસ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર મુળ રાજસ્થાનના પરંતુ હાલમાં થામણા-ઘોરા રોડ ઉપર આવેલા સંદિપભાઈ સોમાભાઈ પટેલના ખેતરમાં રહીને ઘેટાં-બકરાં ચરાવવાનો ધંધો કરતાં બીજલભાઈ કલાજીભાઈ રબારી તથા પરિવારના સભ્યો ગત ૨૨મી તારીખના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ઘરે હાજર હતા ત્યારે નજીકમાં ખેતર ધરાવતા આકીલખાન ઈલીયાસખાન પઠાણ, નાસીરખાન અહેમદખાન પઠાણ, સાબાજખાન નાસીરખાન પઠાણ તથા ઈલીયાસખાન સબ્બીરખાન પઠાણ ધારીયું અને લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને બીજલભાઈના ભાઈ કૃપાજીને જણાવ્યું હતુ કે, તમે અહીંયા કેમ ઘેટા બકરાં ચરાવો છો તેમ કહીને ઝઘડો કર્યો હતો અને આકીલખાને માથામાં ધારીયું મારી દીધું હતુ. 

(6:01 pm IST)