Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અમદાવાદના આંબાવાડીની અથડામણમાં દલિતો પરના કેસ પાછા ખેંચો:જીગ્નેશ મેવાણીનું 72 કલાકનું અલ્ટીમેટમ

કેસ પાછા ન ખેંચાય અમદાવાદમાં સખત વિરોધ કરવાની ચીમકી

 

અમદાવાદના આંબાવાડીમાં હોસ્ટેલમાં યુવતીની છે઼ડતીને પગલે બે સપ્તાહ અગાઉ થયેલી જૂથ અથડામણ અંગે પગલાં લેવા સરકારને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આગામી 72 કલાકમાં દલિતો પર થયેલા કેસ પાછા ખેંચાય અમદાવાદમાં સખત વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

  અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સપ્તાહ અગાઉ બે સમાજના જૂથ વચ્ચે થયેલી અથડામણમાં દલિત સમાજને અન્યાય થયો હોવાની લાગણી સાથે શહેરના શાહીબાગ અને ભુદરપુરાથી રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. તે પછી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ દલિત સમાજને સંબોધતા જીગ્નેશ મેવાણીએ સરકાર પર અને ક્રાઇમ બ્રાન્ચ પર આકરા પ્રહારો કર્યા હતા

(12:21 am IST)