Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પરીખભુવનના મકાનમાં છાપો મારી હારજીતનો જુગાર રમતા 5 ઈસમોને રંગે હાથે દબોચ્યા

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે સાંજના સુમારે પરીખભુવનના એક મકાનમાં છાપો મારીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં પાંચ શખ્સોને ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


મળતી વિગતો અનુસાર આણંદ એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, પરીખભુવનમાં આવેલા દવેના ટેકરા પાસેના કાન્તીભાઈ હરમાનભાઈ ચૌહાણના મકાનમાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં મહેન્દ્રભાઈ રમણભાઈ પરમાર (અંબિકા ચોક, આણંદ), યુસુફભાઈ મહંમદભાઈ દિવાન (રે. વેરાખાડી), દિલીપભાઈ બચુભાઈ વેરીઆ (વેરાખાડી), પ્રગ્નેશભાઈ અરવિંદભાઈ પરમાર (અંબિકા ચોક, આણંદ)તથા સાહિલભાઈ દિલીપભાઈ પરમાર (વેરાખાડી)હોવાનું ખુલવા પામ્યું હતુ.

પોલીસે રોકડા ૨૫૬૦૦ તથા એક બાઈક મળી આવતાં તે પણ જપ્ત કરીને આણંદ શહેર પોલીસ મથકે જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(6:09 pm IST)