Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કઠુઆ-ઉન્નાવની ઘટના કોંગ્રેસ-ડાબેરીઓનું કાવત્રુ : આરોપીને સખ્ત સજા થવી જોઈએ : સાધ્વી પ્રજ્ઞા

અયોધ્યામાં રામમંદિર બનશે : સાધુ સંતો મંદિર બનાવશે : સાધ્વી પ્રજ્ઞા બીલીમોરાની મુલાકાતે

બીલીમોરાની મુલાકાતે આવેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ અને ડાબેરીઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે.   કઠુઆ અને ઉન્નાવમાં બનેલી દુષ્કર્મની ઘટના કોંગ્રેસ અને ડાબેરીઓનું ષડ્યંત્ર હોવાનું સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યુ છે. દુષ્કર્મના આરોપીઓને કડક સજા થવી જોઈએ. દેશમાં દુષ્કર્મ જેવી ઘટના પર રાજનીતિ કરવામાં આવી રહી છે. 
   સાધ્વી પ્રજ્ઞાએ વધુમાં જણાવ્યુ કે, અયોધ્યામાં રામ મંદિર બનશે અને આ મંદિર સાધુ સંતો બનાવશે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે જણાવ્યુ કે, અગાઉની કોંગ્રેસ સરકાર કરતા હાલની મોદી સરકાર ઈમાનદાર સરકાર છે.

 

(12:32 am IST)