Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

નર્મદા જિલ્લામાં કોરોના વિસ્ફોટ : બુધવારે ૨૪ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૦૫૧ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૨૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળાના આદિત્ય માં ૦૩, એમવી રોડ પર ૦૧, આશાપુરા મંદિર પાસે ૦૨, પાયગા પોલીસ લાઈનમાં ૦૧, શેખ ફળિયા માં ૦૧, શ્રીજી નગરમાં ૦૧, મોટા માલીવાડમાં ૦૧, રાજપુત ફળિયા માં ૦૧, સિંધી વાડમાં ૦૧, જીઇબી કોલોનીમાં ૦૧,વિશ્વકર્મા મંદિર પાસે ૦૧ તથા નાંદોદના ગોપાલપુરા માં ૦૧, વડિયા માં ૦૨, સિસોદ્રા માં ૦૧ તથા તિલકવાડા રેંગણ કોલોનીમાં ૦૧ તથા દેડિયાપાડામાં ૦૨, ઘનખેતરમાં ૦૨, વાડવા માં ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૪ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૮ દર્દી દાખલ છે, આજે ૦૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૧૯૫૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૦૫૧ પર પહોચ્યો છે.આજે વધુ ૭૭૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:35 pm IST)