Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

રાજપીપળા ખાતે 24 માર્ચ વર્લ્ડ ટીબી ડે ની નિમિત્તે ક્ષય કેન્દ્ર ખાતે અવરનેસ કાર્યક્રમ યોજાયો

નર્મદા ક્ષય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા કચેરીમાં જોરદાર રંગોળી દ્વારા જાગૃતિ મેસેજ આપવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 24 માર્ચ નો દિવસ વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આમતો આ દિવસે અનેક જાગૃતિના કાર્યક્રમો,રેલી સહિતનું આયોજન તંત્ર દ્વારા કરાઈ છે પરંતુ હાલ કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ આ વર્ષે સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.
  રાજપીપળા સિવિલ હોસ્પિટલ પાછળ આવેલી નર્મદા ક્ષય કચેરી ખાતે આજે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ટીબીના દર્દીઓને બોલાવી અવરનેસ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં નર્મદા જિલ્લા ક્ષય અધિકારી ડો.પ્રજાપતિ,બ્લોક હેલ્થ ઓફિસર ડો.એ.કે.સુમન સહિત ક્ષય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(10:26 pm IST)