Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં જમવા બાબતે થયેલ તકરારમાં ઉશ્કેરાયેલ પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામ્યો

ઉમરેઠ:શહેરના ઓડ બજાર વિસ્તારમાં આવેલ એસએનડીટી ગ્રાઉન્ડ ખાતે ભીખ માંગીને લાવેલ જમવા બાબતે તકરાર થતા ઉશ્કેરાઈ ગયેલ પતિએ પત્નીના માથામાં પથ્થર મારી કરપીણ હત્યા કરી નાખવાના બનાવે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. 

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સજલપુર ગામના વતની વિક્રમભાઈ ઈશ્વરભાઈ સોલંકી છેલ્લા બે માસથી પોતાની પત્ની ઉષાબેન (ઉં.વ.૩૫)ને  લઈ ઉમરેઠ ખાતે આવ્યા  હતા. ઉમરેઠ ખાતે તેઓ ભીખ માંગીને જીવન ગુજરાન ચલાવતા હતા અને નગરના ઓડ બજાર વિસ્તારમાં આવેસ એસએનડીટી ગ્રાઉન્ડ ખાતે રહેતા હતા. ગઈકાલ રાત્રિના સુમારે ભીખ માંગીને જમવાનું લાવેલ આ દંપત્તી ગ્રાઉન્ડના એક ખૂણામાં જમવા બેઠા હતા. દરમ્યાન જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થતા ઝપાઝપી થઈ હતી. જેમાં ઉશ્કેરાઈ ગયેલ વિક્રમભાઈએ નજીકમાં પડેલ પથ્થર ઉઠાવીને પત્નીના માથાના ભાગે મારી દેતા ઉષાબેન લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડયા હતા અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. 

(5:24 pm IST)