Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ધારાસભ્યો-સાંસદોના પત્રોના જવાબ માટે ધારાધોરણો નિયત

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ર૪ : રાજયમાં ધારાસભ્યશ્રીઓના પત્રોના પ્રત્યુત્તર પાઠવવાના ધોરણો અંગે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાના પ્રશ્નના ઉતરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તા. ૩૧-૧-ર૧ ની સ્થિતિએ ધારાસભ્યશ્રીઓ દ્વારા લખવામાં આવેલ પત્રોના જવાબ/ માહિતી આપવા સંબંધે રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સમયાંતરે સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

રાજય સરકારના મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાતી સચિવશ્રીઓની બેઠકોમાં સંસદ સભ્યશ્રીઓ અને ધારાસભ્યોના પડતર પ્રશ્નો અંગે સમયાંતરે સમીક્ષા કરવામાં આવે છે. આમ સરકારી આદેશોનું પાલન કરવામાં આવે છે. આમ ધારાસભ્યશ્રીઓના પ્રશ્નના પ્રત્યુત્તર પામવાના નકકી કરેલા ધોરણો છે.

(3:23 pm IST)