Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

ભરૂચ: નવી મુંબઈથી અપહરણ કરાયેલા બાળક અયાન શેખને ભરૂચ SOG અે મુકતા કરાવ્‍યો

ભરૂચ એસ.ઓ.જી પોલીસે નવી મુંબઈથી અપહરણ કરાયેલ બાળકને મુક્ત કરાવી અપહરણ કરનાર પતિ-પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસ.ઓ.જી પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કાર નંબર-એમએચ 02.ઇએચ.4206માં નવી મુંબઈથી બાળકનું અપહરણ કરી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે જે બાતમીને આધારે પોલીસે માંડવા ટોલપ્લાઝા પાસે ઉભી હતી.

તે વેળા બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી મૂળ રાજસ્થાનના અને નવી મુંબઈ ઉલવા સેક્ટર-8માં રહેતા અપહરણકર્તા જીનતસિંગ બેચરસીંગ રાવ અને સિરોજબેન જીનતસિંગ રાવને ઝડપી પાડી અપહરણ કરાયેલ ત્રણ વર્ષના બાળક અયાન અબ્દુલ હમીદ શેખને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી ઝડપાયેલા બન્ને અપહરણકર્તાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:55 pm IST)