Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઠાસરા નજીક બે જૂથો વચ્ચે બઘડાટી બોલતા 24 વિરુદ્ધ ગુનો દાખલ

ઠાસરા:નજીકના એક ગામે ભરવાડ જ્ઞાતીના લોકો ભેલાણ બાબતે બાખડયા હતા. આ બનાવમાં બન્ને પક્ષના લોકો સામસામી તીક્ષણ હથીયારો લઈ આવી જતાં ધીંગાણુ સર્જાયુ હતું. આ અંગે સ્થાનિક પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં કુલ ૨૪ શખ્સો વિરૃધ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે. તાલુકાના સીમલજ ગામે દેવાભાઈ જહાભાઈ  ભરવાડ  સવારે પશુઓના ભેલાણ બાબતે પોતાની જ્ઞાાતીના લોકો સામે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા ધીંગાણુ સર્જાયુ હતું. જેમાં બન્ને પક્ષના લોકો સામસામી તીક્ષણ હથીયારથી આવી ગયા હતા. આ અંગે ડાકોર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ છે. જેમાં દેવાભાઈ ભરવાડની ફરિયાદમાં ૧૦ જેટલા ભરવાડ ઈસમોનો સમાવેશ થાય છે. જ્યારે સામાપક્ષે મહેશભાઈ મેલાભાઈ ભરવાડની ફરિયાદમાં કુલ ૧૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવવમાં આવી છે.આ બનાવમાં બન્ને પક્ષના છથી વધુ લોકો ઘવાયા હોવાની વિગતો પોલીસે આપી છે.  ઘાયલ થયેલા તમામ લોકોને જુદી જુદી જગ્યાએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી લાખાભાઈ મેલાભાઈ ભરવાડ, રાજુબેન ભોપાભાઈ ભરવાડ, બાયાબેન ભોપાભાઈ ભરવાડને નડિયાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

 

(5:48 pm IST)