Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ઉમરેઠ નજીક ભોઈપુરામાં યુવાને પત્નીના વિરહમાં દવા ગટગટાવી આપઘાત કર્યો

ઉમરેઠ:નજીક આવેલા ભોઈપુરા ખાતે રહેતા યુવાને રીસાઈને પીયર ગયેલી પત્નીના વિરહમા સાસરીમાં જઈને ઝેરી દવા પીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર ભોઈપુરા ખાતે રહેતા રમેશભાઈ શીવાભાઈ ભોઈના લગ્ન ભાદરણ અલકાપુરી વિસ્તારમાં રહેતી જ્યોત્સનાબેન નામની યુવતી સાથે થયા હતા. પત્ની રીસાઈને પીયર ચાલી જતાં આજે રમેશભાઈ તેણીને મનાવવા માટે સાસરીમાં ગયો હતો. જ્યાં બપોરના સુમારે જાજરૂમાં ભરાઈ ગયો હતો અને પત્ની જ્યોત્સનાબેનને જો તુ નહીં આવે તો ઝેરી દવા પીને આપઘાત કરી લઈશ તેમ જણાવ્યું હતુ. પરંતુ પત્ની ટસની મસ ના થતાં તેણે ઝેરી દવા પી લીઘી હતી જેથી પત્નીએ બૂમાબૂમ કરતાં ઘરના સભ્યો દોડી આવ્યા હતા અને બારણું તોડીને રમેશભાઈને બહાર કાઢી તુરંત બોરસદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

(5:47 pm IST)