Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અંકલેશ્વર પાસેની ભયાનક આગમાં ૭ લાપત્તાઃ ૨ મૃતદેહ મળ્યા

અંકલેશ્વર : અહિંની ઝઘડીયા જીઆઈડીસીમાં ભૂકંપ જેવા વિસ્ફોટ સાથે યુપીએલ કંપનીમાં આગ ફાટી નીકળતા બે ડઝન લોકો દાઝી ગયા છે. કાટમાળ હેઠળથી ૨ મૃતદેહ મળી આવ્યા છે. જયારે કૃણાલ પટેલ, કેતન ગેવારીયા, વનરાજસિંહ ડોડીયા, નેહલ મહેતા સહિત ૭ કર્મચારી, સીકયોરીટીમેન લાપતા બન્યા છે. જેમાંથી વનરાજસિંહ અને નેહલ ડોડીયાના મૃતદેહ મળી આવ્યા છે. આગ ઉપર કાબુ મેળવાયો છે. ૨૦ કિ.મી. વિસ્તારમાં વિસ્ફોટ સંભળાયેલ.

(2:34 pm IST)