Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

આણંદ જિલ્લામાં ગુમ થવાની વધતી ઘટનાઃ બે પરિણીતા, અેક યુવક-યુવતિ લાપત્તા

આણંદઃ છેલ્લા બે-ચાર દિવસમાં આણંદ જિલ્લામ઼ા બે પરિણીતા અને અેક યુવક-યુવતિ અલગ-અલગ સ્‍થળેથી લાપત્તા થતા આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તાલુકાના નાપાડ તળપદ મોટા ચરામાં રહેતી કાજલબેન ઉર્ફે પારૂલબેન રસીકભાઈ પરમાર (. . ૨૨)ગત ૨૧મી તારીખના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી નીકળી હતી. બીજા બનાવમાં કરમસદ સાકરબા કન્યા શાળા, નવરંગ પોળની સામે રહેતી જયાબેન ઉર્ફે જાગૃતિબેન નરેશભાઈ વાઘેલા નામની ૩૩ વર્ષીય પરિણીતા ગઈકાલે કોઈને કહ્યા વગર ક્યાંક ગુમ થઈ ગઈ હતી. ત્રીજા બનાવમાં ખંભાત તાલુકાના ગોલાણા તાબે દેઉપુરા ખાતે રહેતો દથરથભાઈ દોલાભાઈ ભરવાડ (.. ૨૦)તેમજ કલમસર ગામે રહેતી હર્ષાબેન ઉદેસિંહ સિંઘા (. . ૨૦)ગત ૨૦મી તારીખના રોજ ગુમ થઈ ગયા હતા.

(6:11 pm IST)